Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે
જામનગર તા. ૨૭: દિગ્વિજયગ્રામ ગામે વિવિધ વિકાસકાર્યોનું કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું.
જામનગર તાલુકાના દિગ્વીજયગ્રામ ગામે રાજ્યના કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે રૂ. ૧૦ લાખથી વધુ ના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ કામોમાં માહેશ્વરીસમાજ વાડીના રૂમનું કામ કુલ રૂ. ૭,૮૯,૩૭૧ તથા રૂમની બાજુમાં રૂ. ૨,૩૮,૫૪૦ લાખના ખર્ચે નાખવામાં આવેલ શેડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે આ કામ થવાથી મહેશ્વરીસમાજના લોકોની સુવિધામાં વધારો થશે.
આ કાર્યક્રમમાં મંત્રી સાથે હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, અગ્રણીઓ કુમારપાળસિંહ રાણા, પ્રદીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ પરમાર, ગિરિરાજસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ, સરપંચ જગદીશભાઈ, માંગીલાલ પ્રજાપતિ સહિત ગ્રામપંચાયતના સભ્યો તથા વિવિધ સમાજના આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમ મીડિયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારે જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial