Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૫૦ હજારનું વ્યાજ રોજના રૂ.૫૦૦!
જામનગર તા. ર૭: જામનગરના એક મહિલાએ રૂ.૫૦ હજાર રોજના રૂ. ૫૦૦ના વ્યાજ લેખે મેળવ્યા પછી રૂ.૮૦ હજાર ચૂકવ્યા છતાં તેઓને વધુ રૂ.૫૦ હજારની માગણી કરી, એક ચેક બેંકમાંથી રિટર્ન કરાવી અન્ય ચેક પણ રજૂ કરી દેવાની ધમકી અપાતા આ મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ૫વનચક્કી વિસ્તારમાં હિંગળાજ ચોક પાસે રહેતા રમીલાબેન શાંતિલાલ પરમાર નામના સતવારા મહિલાએ સવા બે વર્ષ પહેલાં પવનચક્કી પાસે વસવાટ કરતા પરાગ ભરતભાઈ નાખવા પાસેથી રૂ.૫૦ હજાર રોજના રૂ. ૫૦૦ના વ્યાજ પેટે લીધા પછી ત્રણ કોરા ચેક સિક્યુરિટીમાં આપ્યા હતા.
ત્યારપછી સવા બે વર્ષમાં રમીલાબેને રૂ.૮૦ હજાર ચૂકવી આપ્યા હોવા છતાં વધુ રૂ.૫૦ હજારની માગણી કરી પરાગે તેઓનો એક ચેક રૂ.૧ લાખ ૩૫ હજારની રકમ લખી બેંકમાં ભરી દઈ રિટર્ન કરાવ્યો હતો અને બીજા ચેક પણ આ રીતે રિટર્ન કરાવી લેવાની ધમકી આપતા રમીલાબેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પરાગ ભરતભાઈ નાખવા સામે આઈપીસી ૫૦૪, ૫૦૬ તેમજ મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ માટે તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial