Advertisement
Author: નોબત સમાચાર

માનસીક તથા આંખની બીમારીથી કંટાળી યુવાનનું વિષપાનઃ સારવારમાં થયું મૃત્યુ

નગરના યુવકનો અકળ કારણથી ગળાફાંસોઃ

                                                                                                                                                                                                  

જામનગર તા. ર૬: જામનગરની ડિફેન્સ કોલોનીમાં રહેતા એક યુવાને ગઈકાલે અકળ કારણથી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. કલ્યાણપુરના બાંકોડી ગામના એક યુવાને બીમારીથી કંટાળી જઈ ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે.

જામનગરની ડિફેન્સ કોલોનીમાં બુક્ સ્ટોરવાળી ગલીમાં વસવાટ કરતા અનિલ શિવલાલ ધોબી (ઉ.વ.૪૧) નામના યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરે કોઈ અકળ કારણથી છતમાં રહેલા હંુકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં સુનિલ શિવલાલે તેઓને નીચે ઉતારી ચકાસતા આ યુવાન મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા જમાદાર વી.એમ. ચાવડાએ મૃતદેહને પીએમ માટે ખસેડી આ યુવાનની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામમાં વસવાટ કરતા રાજશીભાઈ અરજણભાઈ બળીયાવદરા (ઉ.વ.૪૪) નામના યુવાન માનસિક તથા આંખની બીમારીથી પીડાતા હતા. સારવાર લેવા છતાં સારૃં થતું ન હોવાથી આ યુવાને ગયા સોમવારે પોતાના ખેતરે જઈ ઝેરી દવા પી લીધી હતી. સારવારમાં ખસેડવામાં આવેલા રાજશીભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યંું છે. હાલમાં મુંદ્રામાં રહેતા તેમના નાનાભાઈ દેવશીભાઈએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh