Advertisement
Author: નોબત સમાચાર

અગાઉના મનદુખના કારણે કાલાવડમાં ઘરે ધસી જઈ દંપતી પર કરાયો હુમલો

આરોપી પિતા-પુત્રની ધરપકડ માટે તજવીજઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૯ : કાલાવડના કૈલાસનગરમાં વસવાટ કરતા એક યુવાનને અગાઉના વાંધાના કારણે એક શખ્સે ફોન કરીને ગાળો ભાંડ્યા પછી તેના પિતા સાથે ગુરૂવારે સાંજે ધસી આવી આ યુવાનના માતા-પિતાને માર માર્યાે હતો.

કાલાવડ શહેરમાં કૈલાસ નગરમાં રહેતા મૂળ જસાપર ગામના મયુર નરશીભાઈ સાવલીયા નામના યુવાન ગુરૂવારે સાંંજે પોતાના ઘર પાસે હતા ત્યારે મનોજ વિઠ્ઠલભાઈ સાવલીયા અને હીરેન મનોજભાઈ સાવલીયા આવ્યા હતા.

આ શખ્સો પૈકીના હીરેને ફોન કરીને અગાઉ કહ્યું હતું કે, મને ગાળો કેમ આપે છે તેમ કહ્યા પછી ગુરૂવારે સાંજે હીરેન તથા તેના પિતા મનોજભાઈ ધસી આવ્યા હતા અને તેઓએ મયુરભાઈના માતા-પિતાને માર માર્યાે હતો આ વેળાએ મયુરભાઈ તથા તેના પિતા વાત કરવા માટે ધરમશી ગોરધનભાઈ સાવલીયાના ઘેર જતા આ શખ્સોએ ફરીથી ગાળો ભાંડી હતી અને મનોજભાઈએ ધોકો ફટકારી મયુરભાઈને માથામાં ઈજા પહોંચાડી હતી. કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના તેની ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh