Advertisement
Author: નોબત સમાચાર

ચેક રિટર્નના બે કેસમાં મુંબઈના આસામીનો છૂટકારો

ઉલટ તપાસમાં પુરાવો શંકાસ્પદ સાબિતઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા.૧૯: જામનગરના એક મહિલાએ મુંબઈની પેઢીના સંચાલક સામે ચેક પરતની કરેલી બે ફરિયાદ અન્વયે અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. જામનગરના ગુલાબનગર માં રહેતા દયાબેન રતીલાલ વેગડે મુંબઈની પુરૂષોત્તમ કન્સ્ટ્રક્શન નામની પેઢીના સંચાલક સામે ચાર વર્ષ પહેલાં જામનગરની અદાલતમાં કુલ રૂ.૪ લાખના બે ચેક પરત ફર્યાની ફરિયાદ કરી હતી. તે બંને કેસ ચાલવા પર આવતા આ ચેક વ્યવહાર પેટે ફરિયાદીના જમાઈને આપવામાં આવ્યા હોવાની આરોપી પક્ષે દલીલ કરી હતી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ કે.ડી. ભટ્ટ, ગૌરવ પંડયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh