Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એપીએમસીમાં આવતા વાહનોને રિફલેકટર્સ લગાવાયા

આરટીઓ, ટ્રાફિક પોલીસ, એપીએમસીના સહયોગથી

                                                                                                                                                                                                      

આરટીઓ જામનગર, જિલ્લા ટ્રાફિક શાખા, જામનગર તેમજ એપીએમસી, હાપા, જામનગર ના સંયુક્ત ઉપક્રમે એલ એન્ડ ટી, રાજકોટ વાડીનાર ટોલ લિમિટેડના સહયોગ થી  એપીએમસીમાં આવતા ખેતી વિષયક વાહનોમાં રેડિયમ/રિફ્લેક્ટર્સ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ખેત પેદાશો લઈને આવેલ ખેડૂત મિત્રો તેમજ વાહન ચાલકોને રોડ સેફ્ટી વિશે જાગૃત કરવામાં આવેલ. એપીએમસી ના હોદ્દેદારો દ્વારા હવેથી એપીએમસીમાં આવતા આ પ્રકારના વાહનોમાં રિફ્લેક્ટર ન હોય તો ગેટ પર જ રિફ્લેક્ટર લાગી જાય તેવી સ્થાયી વ્યવસ્થા ઉભી કરવા અંગે પણ યોગ્ય દિશામાં વિચારણા કરેલ છે. આ પ્રસંગે એપીએમસીમાંથી મુકુંદભાઈ સભાયા-ચેરમેન, હિરેનભાઈ કોટેચા-વા. ચેરમેન,  હિતેષભાઈ પટેલ- સેક્રેટરી, હજડાભાઈ-જીલ્લા રજિસ્ટ્રાર કચેરી, આર ટી ઓ કચેરીમાંથી કે કે ઉપાધ્યાય આરટીઓ, જે જે ચુડાસમા આઈએમવી,  એન ડી આંબલિયા આઈએમવી, એચ એસ પટેલ, એઆઈએમવી, જિલ્લા ટ્રાફિક શાખામાંથી એ. એચ. ચોવટ, પી.એસ.આઈ, એમ. બી ઝાલા એચસી, એ.આર. ગૌસ્વામી એચસી તેમજ એલ એન્ડ ટી માંથી શુકલાજી તેમજ રૂટ ટીમ ઉપસ્થિત રહ્યા હતાંં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh