Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના સંકીર્તન મંદિરમાં
દ્વારકામાં છેલ્લા સત્તાવન વર્ષથી રામનામની અખંડ જ્યોત જગાવનાર સદ્ગુરુદેવ પ્રેમભિક્ષુજી મહારાજની ચૈત્ર વદ પંચમી તા. ૧૮-૪-ર૦રપ ને શુક્રવારના પપ મી પુણ્યતિથિ મહોત્સવની સંકીર્તન મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે સમુદ્ર પૂજન ૮-૩૦ કલાકે, દ્વારકાધીશની ધ્વજાજીનું પૂજન તથા અભિષેક પૂજન ૧૦-૩૦ કલાકે, ઉત્સવ આરતી બપોરે ૧ર કલાકે યોજાઈ હતી. ગુરૂપૂજન પછી બપોરે ૧ર-૩૦ કલાકે ગુરુ પ્રસાદી ગુગળી બ્રહ્મપુરી નં. ૧ મા યોજાઈ હતી. સાંજે ૬-૩૦ કલાકે બ્રહ્મલીન સમયે આરતી પછી નગર કીર્તન (શોભાયાત્રા) સંકીર્તન મંદિરથી નીકળી નગરભ્રમણ કર્યા પછી પુનઃ સંકીર્તન મંદિરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં રામભક્તો ધંધા-રોજગાર બંધ રાખી જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial