Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણીની મોટર ચાલુ કરવા જતાં ખેડૂતને વીજશોકઃ
જામનગર તા.૧૯ : ઓખાના દરિયામાં માછીમારી માટે ગયેલા મૂળ નવસારી જિલ્લાના યુવાનનું ઉંઘની હાલતમાં હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યું છે. જયારે કલ્યાણપુરના કનકપર-માળી ગામમાં વૃદ્ધ ખેડૂતને વીજ આંચકો ભરખી ગયો છે.
દ્વારકા જિલ્લાના ઓખામાં આવેલા આર.કે. બંદર પર માછીમારી માટે આવીને રહેતા મૂળ નવસારી જિલ્લાના વસર ગામના વતની સંજયભાઈ મહેશભાઈ હળપતી (ઉ.૩૦) નામના યુવાન ગુરૂવારે માછીમારી માટે દરિયામાં ગયા પછી રાત્રે હરીકૃપા બોટમાં જમ્યા પછી નિદ્રાધીન થયા હતા. તેઓને સવાર સુધીમાં હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. જગદીશભાઈ નાનુભાઈ ટંડેલે પોલીસને જાણ કરી છે.
કલ્યાણપુર તાલુકાના કનકપર-માળી ગામમાં રહેતા વેજાણંદભાઈ નાથાભાઈ ગામડા (ઉ.વ.૬૪) નામના વૃદ્ધ ગુરૂવારે સાંજે પોતાના ખેતરે પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે તેઓને કોઈ રીતે વીજ આંચકો લાગ્યો હતો. તેથી તેમનું મૃત્યુ નિપજ્યું છે. પુત્ર ભરતભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial