Advertisement
Author: નોબત સમાચાર

છોટીકાશીમાં બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વિશાળ સંકીર્તન નગરયાત્રા

સંકીર્તન યાત્રાના નગર ભ્રમણ દરમિયાન સાંસદ-ધારાસભ્ય સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમીઓ જોડાયા

                                                                                                                                                                                                      

 'છોટીકાશી' કહેવાતા જામનગરમાં તળાવની પાળ પર આવેલ અને અખંડ રામધૂન માટે વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂનનાં પ્રણેતા બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજની ૫૫ મી પુણ્યતિથી પર ગુરૂ પૂજન, પ્રભાત ફેરી, ધ્વજારોહણ, મહાપ્રસાદ, બાદ ગઈકાલે સાંજે નગર સંકીર્તન યાત્રાનું આયોજન કરાયું હતું, જેના નગર ભ્રમણ દરમિયાન શહેર જિલ્લાના તેમજ સમગ્ર ભારતભરમાંથી આવેલા અનેક ધર્મપ્રેમીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.  મંદિર ટ્રસ્ટના  પ્રમુખ જીતુભાઇ લાલ સહિતના હોદ્દેદારો તેમજ અન્ય સહયોગીઓના માધ્યમથી નગર સંકીર્તન યાત્રા યોજાઇ હતી.

અખંડ રામધૂનના પ્રણેતા બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજની પ્રતિમા સાથેનો વિશેષ રથ તૈયાર કરવામાં આવ્યો હતો. જે રથની સાથે સાથે અન્ય કેટલાક ફલોટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા, અને નગર સંકીર્તન યાત્રા યોજાઇ હતી.

 જે સંકીર્તન યાત્રા જામનગરના તળાવની પાળે આવેલા બાલા હનુમાનજી મંદિરથી પ્રારંભ થઈને હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક રોડ, ચાંદી બજાર, કેદાર લાલ સિટી ડિસ્પેન્સરી, સજુબા સ્કૂલ, રણજીત રોડ, બેડી ગેઇટ, પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઈ ચોક થઇ શ્રી બાલા હનુમાનજીના મંદિરે સંપન્ન થઈ હતી.

 ઉપરોક્ત સંકીર્તન યાત્રામાં ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલની સાથે જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, શહેરના ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, અને રિવાબા જાડેજા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ) તેમજ અન્ય જુદી જુદી જ્ઞાતિ સમાજના અગ્રણી હોદ્દેદારો અને ધર્મપ્રેમી ભાઈઓ- બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા, અને સમગ્ર સંકીર્તન યાત્રાના રૂટ દરમિયાન 'શ્રી રામ જય રામ જય જય રામ'ની ધૂન સાથે ભક્તિમય વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.

સમગ્ર ધર્મોત્સવનાં આયોજનને સફળ બનાવવા માટે શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ટ્રસ્ટનાં પ્રમુખ જીતુભાઇ લાલ, મંત્રી વિનુભાઇ તન્ના, ખજાનચી રવિન્દ્રભાઈ જોષી તેમજ ટ્રસ્ટીઓ કનુભાઈ કોટક, કિરીટભાઇ ભદ્રા, ઉદયસિંહ વાઢેર,પાર્થભાઇ પંડ્યાના માર્ગદર્શનમાં ભક્તો, સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh