Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં અવિરત દબાણ હટાવ ઝુંબેશ
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગઈકાલે બર્ધનચોક વિસ્તારમાંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમ્યાન રેકડી અને પથારાવાળાનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેના અનુસંધાને ખાસ કરીને બર્ધનચોક વિસ્તારમાંથી ટ્રાફિકને નડતરરૂપ રેકડી અને પથારા વાળાને દૂર કરવામાં આવી રહૃાા છે ગઇકાલે પણ ચાર રેકડી અને ૧૫ થી વધુ પથારા વાળાનો માલસામાન જપ્ત કર્યો હતો. અને સમગ્ર વિસ્તારને દબાણ મુક્ત કરાવ્યો હતો. આ સમયે અન્ય કેટલાક ધંધાર્થીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. અત્રે સવાલ એવો ઉભો થાય છે કે અહીં એક ચોકી ઉભી કરવામાં આવી છે તો પછી રેકડી-પથારાવાળા ત્યાં કેવી રીતે આવી જાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial