Advertisement
Author: નોબત સમાચાર

વ્યાજખોરી કરી ધમકી આપવાના કેસમાં વસઈના આરોપીના આગોતરા જામીન મંજૂર

ફરિયાદીએ આત્મહત્યાની કરી હતી કોશિષઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૯ : જામજોધપુરના એક આસામીએ જામનગરના વસઈ ગામના શખ્સ પાસેથી વ્યાજે પૈસા લીધા પછી તેના કહેવાતા ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો. ઉપરોક્ત ગુન્હામાં આરોપીએ આગોતરા જામીન મેળવવા માટે કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.

જામજોધપુરમાં વસવાટ કરતા દર્શકગીરી ગોસ્વામી નામના આસામીએ ગઈ તા.૮-૩-૨૦૨૫ના દિને જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાની કોશિષ કરી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલા આ યુવાનનું પોલીસે નિવેદન નોંધ્યું હતું.

જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વસઈ ગામના  પૃથ્વીરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા પાસેથી તેઓએ રૂ.૫ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા પછી વ્યાજ સાથે મુદ્દલ  ચૂકવ્યું હતું અને ફરીથી રૂ.૧ લાખ ૧૦ ટકાના વ્યાજ લેખે મેળવ્યા હતા. તેની પણ ચૂકવણી કરી આપી હોવા છતાં પૃથ્વીરાજસિંહ હેરાન કરી ધમકી આપતો હોય. તેને આત્મહત્યાનો પ્રયાસ કર્યાે છે.

આ ફરિયાદ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયા પછી આરોપી પૃથ્વીરાજસિંહે આગોતરા જામીન મેળવવા માટે અદાલતમાં અરજી કરતા તેના વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયાની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીને આગોતરા જામીન આપવાનો આદેશ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh