Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે ગુન્હાના ફરાર આરોપીને પકડી લેવાયોઃ
જામનગર તા.૧૯: જામનગર તથા દ્વારકા જિલ્લાના બે ગુન્હામાં નાસતા ફરતા આરોપીને એલસીબીએ પકડી પાડ્યો છે. જ્યારે ચાર વર્ષ પહેલાની છેતરપિંડીના એક ગુન્હાના નાસી ગયેલા ચાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધા છે.
જામનગરના સિક્કા તેમજ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુન્હામાં જામનગરના ઢીંચડા રોડ પર સેનાનગરમાં વસવાટ કરતા મૂળ વડોદરાના સન્ની સિંગ શેરસિંગ તીનપીતીયા નામના શખ્સની સંડોવણી જાહેર થયા પછી આ શખ્સ નાસી ગયો હતો.
ઉપરોક્ત આરોપી દિગ્જામ વુલન મીલના ગેઈટ પાસે આવ્યો હોવાની બાતમી એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, કાસમ બ્લોચ, ઋષીરાજસિંહને મળતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. તેનો કબજો સિક્કા પોલીસને સોંપાયો છે.
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧માં છેતરપિંડી કરવા અંગે એક ગુન્હો નોંધાયો હતો. જેમાં અંધાશ્રમ નજીક હનુમાન ચોકમાં રહેતા ખોડુભા લખુભા ચુડાસમા તથા મેહુલનગર પાસે રહેતા રાજેન્દ્રગીરી ચેતનગીરી ગોસ્વામીના નામ ખૂલ્યા હતા. ત્યારથી આ શખ્સો નાસતા ફરતા હતા. જ્યારે આ જ ગુન્હાના અન્ય આરોપી કિરતસિંહ લાલુભા જાડેજા અને કૈલાસ બિપીનભાઈ ગોહિલ પણ નાસી ગયા હતા. આ ચારેય આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પકડી લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial