Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે યોજેલી
જામનગર તા. ૯: કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ વિભાગના મંત્રીઓ સાથે વિડિઓ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ કલેકટર કચેરી જામનગરથી સહભાગી થયા હતા.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ વિભાગના મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તમામ રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે વિડિઓ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ કલેક્ટર કચેરી જામનગરથી જોડાયા હતા.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ તમામ મંત્રીઓ પાસેથી તેમના રાજ્યોની કૃષિ વિષયક વિગતો મેળવી હતી. અને જરૂરી સૂચનો માગ્યા હતા. જેમાં મંત્રી રાઘવજીભાઈ પટેલે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના લગત સૂચનો તેમજ નવી ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે બજેટના માધ્યમથી નવા માધ્યમોને સમર્થન આપવું જેવા કે નેનો ઉર્વરક, ડ્રીન ટેકનોલોજી વગેરેમાં ખેડૂતોને સહાય આપવામાં આવે જેથી કરીને તેઓ કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવતા થાય. કેન્દ્ર સરકાર તરફથી જે યોજનાઓ અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે તેની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવે જેવા સૂચનો આપ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial