Advertisement
Author: નોબત સમાચાર

સિદ્ધાર્થનગરમાં બંધ પડેલા મકાનમાં ઘૂસી કોઈ શખ્સોએ કરી નાખી તોડફોડ

રૂપિયા એકાદ લાખના નુકસાનની ફરિયાદઃ

જામનગર તા.૧૦ : જામનગરના દિગ્જામ વુલન મીલ નજીક આવેલા સિદ્ધાર્થ નગરમાં એક મહિલાના બંધ પડેલા મકાનમાં ત્રણ દિવસ પૂર્વે કોઈ શખ્સો ગેરકાયદેસર રીતે ઘૂસી જઈ અંદર તોડફોડ કરી નાસી ગયા હતા. આ મહિલાએ રૂપિયા એકાદ લાખનું નુકસાન કર્યાની તે શખ્સો સામે પોલીસમાં ફરિયાદ કરી છે.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં સિદ્ધિ વિનાયક સોસાયટીમાં વસવાટ કરતા રામીબેન ધનજીભાઈ પરમાર નામના મહિલાનું દિગ્જામ વુલન મીલ પાસે સિદ્ધાર્થનગરની શેરી નં.૪માં મકાન આવેલુ છે.

હાલમાં બંધ પડેલા તેમના મકાનમાં મંગળવારની રાત્રે બારેક વાગ્યા પછી કોઈ શખ્સો ઘૂસ્યા હતા. મકાનનો દરવાજો તથા ઉપર રહેલા પતરા તોડી અને છતવાળા મકાનની પાળી તોડી તસ્કર મકાનમાં ઉતર્યા હતા. આ તસ્કરોએ ફળીયામાં બનાવવામાં આવેલા સંડાસ, બાથરૂમના પતરા પણ તોડી નાખ્યા હતા અને ફળીયાની દીવાલમાં નુકસાન કર્યું હતું.

આ બાબતની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રામીબેને ફરિયાદ નોંધાવી છે અને તેમના મકાનમાં રૂપિયા એકાદ લાખનું નુકસાન થયાનું જણાવ્યું છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh