Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા પોલીસના પ્રયાસ

આડેધડ રેંકડી, કેબીનો રાખનાર સામે પગલાં:

ખંભાળિયા તા.૧૦ : ખંભાળિયાના મુખ્ય બજારોના વિસ્તાર સહિતની ટ્રાફિક સમસ્યા હલ કરવા ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. વનવે જાહેર કરાયેલા રસ્તાઓ પર પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવા ઉપરાંત કેસ નોંધવામાં આવી રહ્યા છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા હલ થઈ શકશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયામાં રાજા શાહી સમયના રસ્તાઓ અતિ સાંકડા હોય તેમજ દબાણો, રેંકડી-કેબીન, જ્યાં ત્યાં ઉભા રહેતા ઠેલાવાળાઓના કારણે તથા મુખ્ય બજારમાં બે બેંક, શાક માર્કેટ આવેલી છે ત્યાં સવારથી બપોર સુધી ટ્રાફિકજામ રહે છે. તે પ્રશ્નને નિવારવા માટે જિલ્લા ટ્રાફિક શાખાના ઈન્ચાર્જ પીઆઈ વી.એમ. સોલંકી તથા સ્ટાફ દ્વારા તાકીદે કામગીરી કરી દબાણકારોને હટાવવાના પગલા લેવાયા હતા.

સાંકડા રસ્તાઓ પરથી દબાણ દૂર કરાતા અને  ચોખ્ખા કરાતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

આ ઉપરાંત ખંભાળિયામાં ટ્રાફિકના પ્રશ્નના કારણે નગર ગેઈટથી મુખ્ય બજાર સુધીનો રસ્તો વનવે કરાયેલો હતો ત્યાંથી નગરગેઈટ અથવા ઝવેરી બજાર, લુહારસાર થઈ બરછાપાડામાંથી રસ્તો આવતો હતો તેને વનવે જાહેર કરવામાં આવ્યો છે. જેનો કડક અમલ ન કરવામાં આવતા વનવે પર સામસામા રિક્ષા પણ ન નીકળે તેવી સ્થિતિ થતાં રોજ ટ્રાફિકની સમસ્યા થાય છે. તે ઉપરાંત અડચણરૂપ રીતે રાખી દેવાતા વાહનો, રેંકડીઓ પણ માથાનો દુખાવો સર્જી રહ્યા છે. તેની સામે કાર્યવાહી કરવા અને કેસ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh