Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વળતર તથા ખર્ચ પણ આપવા હુકમઃ
જામનગર તા.૧૦ : જામનગરના એક આસામીએ મેડિક્લેઈમ મેળવ્યા પછી સારવારનો ખર્ચ ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે ફરિયાદ ચાલી જતાં વ્યાજ સાથે વળતર ચૂકવી આપવા હુકમ કરવામાં આવ્યો છે.
જામનગરના પુંજાભાઈ કુરજીભાઈ કણઝારીયાએ વર્ષ ૨૦૨૨માં સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સ કંપની પાસે મેળવી ક્લેઈમ મેળવી પ્રિમિયમ ભરપાઈ કર્યું હતું. તે પછી આ આસામીને ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું પડ્યું હતું.
તેમાં રૂા.૩,૬૬,૪૧૪નો ખર્ચ થતાં તેના બીલ સહિતના કાગળો રજૂ કરી વીમા કંપની પાસે વળતર મંગાતા વીમા કંપનીએ ક્લેઈમ રદ્દ કર્યાે હતો. તેથી વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે ફરિયાદ ચાલી જતાં અદાલતે માંગવામાં આવેલી રકમ પર છ ટકા વ્યાજ ગણી તે રકમ ચૂકવવા અને ત્રાસ તથા ફરિયાદ ખર્ચ પેટે રૂા.પ હજાર અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial