Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ પ્રશ્નો કયારે ઉકેલાશે ??
ખંભાળિયા તા. ૧૦: ગુજરાત રાજયની નગર પાલિકાઓમાં લાંબા સમયથી પડતર પ્રશ્નો હોય ખંભાળિયાના સફાઈ કામદાર અગ્રણી તથા રાજયના સફાઈ કર્મી મહામંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલા, રાજય પ્રમુખ કસ્તુરભાઈ મકવાણા તથા અગ્રણીઓ દ્વારા ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજયના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાને પડતર પ્રશ્નો અંગે રૂબરૂ ગાંધીનગરમાં રજૂઆત કરી હતી.
રાજયની નગર પાલિકાઓમાં સફાઈ કામદારોની નિવૃત્તિ કે સ્વૈચ્છીક નિવૃત્તિ પછી તેમના વારસદારોને વારસાઈ ધોરણે નોકરી પર લેવા માટે, વર્ષોથી પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને સિનિયોરીટીના ધોરણે નોકરી પર લેવા, રાજયની પાલિકાઓમાં સફાઈ કામ માટે નોકરી પર લેવા, રાજયની પાલિકાઓમાં સફાઈ કામ માટે કોન્ટ્રાકટ પ્રથા જયાં જયાં ચાલુ હોય ત્યાં બંધ કરવા, રાજયની નગરપાલિકાઓના સફાઈ કામદારોને દર માસે નિયમિત પગાર ભથ્થા ચૂકવવા માટે તથા રાજયની પાલિકાના સફાઈ કામદારોને ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ જમીનના પ્લોટ ફાળવવા માટે રજૂઆતો કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial