Advertisement
Author: નોબત સમાચાર

સરકારનાં એક જ બોર્ડના અધિકારીઓની સામૂહિક બદલીઓ

જામનગર તા. ૧૦: રાજયમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વૈજ્ઞાનિક અધિકારી વર્ગ-૨ તરીકે અને મદદનિશ પર્યાવરણ ઈજનેર તરીકે ફરજ બજાવતા જામનગરના અધિકારી સહિતના અધિકારીની બદલી કરવામાં આવી છે. જેમાં વૈજ્ઞાનિક અધિકારીઓમાં જામનગરના કુ. હેમાબેન કનૈયાલાલ શાહને ગાંધીનગર, આણંદથી મહેશ જીવરાજભાઈ મકવાણાને જામનગર, રાજકોટથી કિશોર રતિલાલભાઈ માલવીયાને જામનગર મુકવામાં આવ્યા છે.

જયારે મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ-૨ તરીકે ફરજ બજાવતા રાજયના ૬૭ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે.  જેમાં જામનગરના ચેતન હીરાભાઈ ઔદાણીને મોરબી, જીમીત મુકુન્દકુમાર જાદવને ગાંધીનગર મૂકવામાં આવ્યા છે. ઉપરાંત પાર્થિક મહેશકુમારને સોનીને ગાંધીનગરથી જામનગર, પોરબંદરથી દર્પણ સંજયભાઈ સાકરીયાને જામનગર મુકવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh