Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પિતાનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૧૩: જામનગરના તિરૂપતિ પાર્ક-ર વિસ્તારમાં વસવાટ કરતા એક યુવતીએ મંગળવારની રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધ્યું છે.
જામનગરના ઢીંચડા રીંગ રોડ પર આવેલા તિરૂપતિ પાર્ક-રમાં વસવાટ કરતા મનોજભાઈ રામપુજન કનોજીયા નામના પ્રૌઢની ૨૧ વર્ષની પુત્રી ખુશીબેન ગયા મંગળવારે રાત્રે દસેક વાગ્યે પોતાના ઘરે હતા.
ત્યારે આ યુવતીએ કોઈ અગમ્ય કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કરી છતમાં રહેલા પંખામાં ચુંદડી પરોવી ગાળીયો બનાવ્યા પછી ગળા ફાંસો ખાઈ લીધો હતો. આ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે.
ઉપરોક્ત બનાવ અંગે મનોજભાઈ કનોજીયાએ પોલીસને જાણ કરતા સિટી સી ડિવિઝનના જમાદાર એસ.એમ. જાડેજાએ અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial