Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં બેંક કર્મચારીઓ દ્વારા
જામનગર તા. ૧૩: બેંકોમાં પાંચ દિવસનું સપ્તાહ કરવાની માંગ સામે ગઈ સાંજે જામનગરાં બેંક કર્મચારીઓ દ્વારા દેખાવો - સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.
અગાવ બેંકો સોમવારથી શુક્રવાર સુધી આખો દિવસ અને તમામ શનિવારે અડધો દિવસ ચાલુ રહેતી હતી. આ પછી બીજા અને ચોથા શનિવારની રજા જાહેર કરવામાં આવી હતી.
ડિજીટલ બેંકીંગના કારણે બેંકમાં ગ્રાહકોની અવરજવર ઘટી હતી. આથી અન્ય બાકી શનિવારની રજા જાહેર કરવા વિચારણા કરવામાં આવી હતી.
આ પછી દરરોજ ૪૦ મિનિટ બેંકમાં કામકાજનો સમય વધારી દરેક શનિવારની રજા આપવા સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. પરંતુ લાંબા સમયથી શનિવારની રજાનો નિર્ણય લેવામાં આવતો નથી. આ મુદ્દે લાંબા સમય ગાળાથી બેંક યુનિયનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે.
ગઈકાલે જામનગરમાં પણ યુકો બેંક પાસે બેંક કર્મચારીઓ દ્વારા દેખાવો-સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં અને શનિવારની રજા જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત બેંક વર્કર યુનિયનના જોઈન્ટ સેક્રેટરી કુલીન ધોળકીયા અને મલમ જોષી ઉપરાંત મનોજ મહેતા, રવિરાજસિંહ ગોહિલ, સબાનાબહેન સહિતના બેંક કર્મચારીઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial