Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ : સેન્ટ્રલ બેંક રોડ પર આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિરમાં તા. ર૬-ર-૨૦૨૫ ના દિને મહાશિવરાત્રિ પર્વ ઉજવવામાં આવશે.
સૂર્યનારાયણ મંદિરના પૂજારી દધીજી મહારાજ દ્વારા ધ્વજાજીનું સવારે ૯ વાગ્યે પૂજન કરાશે, જેના યજમાનપદે શેતુલભાઈ વારિયા તથા ફોરમબેન વારિયા અને પરિવાર રહેશે. દાતાઓના સહકારથી બનાવેલ ચાંદીની આરતી તથા હનુમાનજીની ચાંદીની ગદાનું પૂજન કરી પીપળેશ્વર મહાદેવને અર્પણ કરાશે. શિવરાત્રિના દિવસે મહાદેવજીને ચાંદી/ફૂલનો શણગાર કરાશે. મંડપ, લાઈટ ડેકોરેશન કરવામાં આવશે. સાંજે ૬ થી ૧ર વાગ્યા સુધી દર્શન ખૂલ્લા રહેશે. પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા શિવ શોભાયાત્રા નિમિત્તે રૂટ ઉપર ઠંડી છાસનું વિતરણ કરવામાં આવશે. મંડળના વડીલ પાર્થ સામાણી, પ્રફુલભાઈ ચોક્સી, નંદનભાઈ ભટ્ટ, પરિમલભાઈ ભટ્ટ, વિગેરે જહેમત ઊઠાવી રહ્યા છે. આ ધાર્મિકોત્સવ અંગે હરિઓમભાઈ, રામભાઈ સારડા તથા પરિવારજનો ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial