Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવાગામ ઘેડમાં થયેલા અકસ્માતની કરાઈ ફરિયાદઃ
જામનગર તા.૧૮ : જામનગરના નવાગામ ઘેડમાં રવિવારે બપોરે આડી પડી ગયેલી એક મોટરની હડફેટે ચડેલા બે વ્યક્તિને ઈજા થઈ હતી. તેની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જોડિયાના બાલંભા પાસે ગઈકાલે સવારે સર્જાયેલા અકસ્માતની પણ ફરિયાદ થઈ છે. આ અકસ્માતમાં ત્રણ મહિલાના મૃત્યુ થયા હતા અને ત્રણને ગંભીર ઈજા પહોંચી હતી.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ભંગારના વાડા પાસે રવિવારે બપોરે જીજે-૩-એનપી ૨૬૬૨ નંબર વાળી ઈકો મોટર પસાર થતી હતી ત્યારે તેના ચાલકે કાબુ ગૂમાવતા સર્પાકારે દોડેલી આ મોટરે ત્યાંથી જીજે-૧૦-બીકે ૮૫૧૧ નંબરના એક્ટિવામાં જતા જાવેદ નાસીર જોખીયા નામના યુવાનને હડફેટે લીધા હતા. તે ઉપરાંત જેઠાભાઈ પણ મોટરની ઠોકરે ચઢયા હતા.
સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલા જાવેદે મોટરના ચાલક સામે અકસ્માત સર્જી કેટલાક વાહનોને પણ નુકસાન થયાની ફરિયાદ કરી છે. પોલીસે ઈકો મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જોડિયા તાલુકાના મોરાણા ગામના પાટીયાથી ભાદરા તરફ જતાં બાલંભા ગામ તરફના રોડ પર ગઈકાલે વહેલી સવારે સાડા ચારેક વાગ્યે એક અજાણ્યા ટ્રકે પાટણ જિલ્લાના સાંતલપુર ગામના પદયાત્રી સંઘને હડફેટે લીધો હતો. આ સંઘમાં ૧૨ મહિલા ચાલીને દ્વારકા દર્શનાર્થે જવા નીકળ્યા હતા. એકાદ કલાક પહેલાં જ આ સંઘ આરામ કરીને ફરીથી રવાના થયો તે પછી આગળ ચાલી રહેલા છાનુબેન મહાદેવ ભાઈ બકુતરીયા (ઉ.વ.ર૩), રૂડીબેન લક્ષ્મણભાઈ બકુતરીયા (ઉ.વ.૬૫) અને સેજીબેન મેરામભાઈ બકુતરીયા (ઉ.વ.૫૦) પર કાળ બનીને ટ્રક ધસી આવ્યો હતો.
આ ત્રણ મહિલાના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે સાથે રહેલા ગીતાબેન રાજાભાઈ કાસડ, સુસ્મિતાબેન જીવણભાઈ, રાણીબેન અરજણભાઈ નામના ત્રણ મહિલા ઘવાયા હતા. મીતાબેન અરજણભાઈ બકુતરીયાએ જોડિયા પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial