Advertisement
Author: નોબત સમાચાર

ઉત્તરપ્રદેશથી ભારતયાત્રાએ નીકળેલા ર૩ વર્ષિય યુવાન મોહિત રંજનનું જામનગરમાં ભવ્ય સ્વાગત

સદ્ગુરુના 'સેવ સોઈલ'ના સંદેશ સાથે ૩૦ હજાર કિ.મી.ના પ્રવાસ અંતર્ગત

ઈશા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ સદ્ગુરૂ જગ્ગી વાસુદેવ દ્વારા 'સેવ સોઈલ'અર્થાત્ 'માટી બચાવો' નામે વૈશ્વિક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના સમર્થનમાં ઉત્તરપ્રદેશના લલિતપુરથી મોહિત નિરંજન ર૩ વર્ષિય યુવાન સાયકલ પર ભારત યાત્રાએ નીકળ્યો છે. કુલ કુલ ૩૦ હજાર કિ.મી.ની સાયકલ યાત્રા દરમિયાન હજારો કિ.મી.નું અંતર કાપી જામનગર આવી પહોંચેલા મોહિત નિરંજનનું શહેરના રણમલ તળાવ સંકુલમાં ઈશા ફાઉન્ડેશનના સ્થાનિક સભ્ય જય શુક્લા તથા અન્ય લોકોએ સ્વાગત અભિવાદન કર્યું હતું અને આગળની યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh