Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લામાંથી યુવક ગુમ

સાથે રહેતા યુવાને પોલીસને જાણ કરીઃ

જામનગર તા.૧૮: જામનગર-ખંભાળિયા રોડ પર મેઘપર ગામમાં ભાડાનું મકાન રાખી ત્યાં વસવાટ કરતા મૂળ બિહારના એક શ્રમિક ગયા ગુરૂવારે સવારથી સાંજ સુધીમાં પોતાના રહેણાંકના સ્થળેથી ગુમ થઈ ગયા છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મેઘપર ગામમાં વસવાટ કરતા મૂળ બિહાર રાજ્યના બેસાલી જિલ્લાના વતની પરવેઝ રસુલભાઈ શેખ (ઉ.વ.૩૬) નામના શ્રમિક ગયા ગુરૂવારે સવારે સાડા આઠેક વાગ્યે પોતાના રહેણાંક પરથી ગુમ થયા છે.

તેઓની સાથે વસવાટ કરતા મુસ્તફા મહંમદકાસીમ શેખને સાંજે તેની જાણ થઈ હતી. તેણે પરવેઝની શોધખોળ કર્યા પછી ગઈકાલે આ યુવાન ગુમ થયાની મેઘપર પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. પોલીસે ગુમ થનાર યુવાનનો ફોટો તથા વર્ણન મેળવી તપાસ આદરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh