Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાઃ સમસ્યાઓનું શહેર!
ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયા શહેરમાં વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે પૂર્વ પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા પાલિકા ચીફ ઓફિસર તથા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયા પાલિકાની એમ્બ્યુલન્સોમાં એક પણમાં ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા નથી. અગાઉ ત્રણમાં હતી. હાલ એક પણમાં ના હોય, ઈમરજન્સીમાં અન્ય સ્થળે જવા જરૂરત પડતી હોય તાકીદે ઓક્સિજન સિલિન્ડર વ્યવસ્થા કરવી.
પાલિકા વિસ્તારમાં ગામમાં દાખલ થતા રેલવે ફાટક પાસેથી રેલવે સ્ટેશન સુધી જ્યાં રેલવે રસ્તો નથી બનાવતું ત્યાં નવા બનાવવા અથવા રીપેરીંગ કરવા પાલિકાને ફાળવાયેલી રસ્તા રીપેરીંગની ગ્રાન્ટમાંથી તાકીદે કામો કરવા, પાલિકા બગીચામાં નવા સાધનો માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સાધનો વસાવવા, પાલિકાના તમામ વોર્ડમાં જ્યાં લાંબા સમયથી રસ્તાઓ બન્યા નથી ત્યાં નવા રસ્તાઓ બનાવવા તુરત આયોજન કરવું, પાલિકા વિસ્તારમાં ફાયર સ્ટેશન મંજુર થઈ ગયું હોય, ખાતમુહૂર્ત કરીને ચાલુ કામ કરવું, પાલિકાનું જોધપુર ગેઈટ પાસેનું દવાખાનાનું નવું બનાવાયેલું બિલ્ડીંગ ધૂળ ખાતું લાંબા સમયથી હોય, આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી ત્યાં આરોગ્ય સુવિધા કરવી, શહેરમાં લાખોના ખર્ચે બનેલ ફૂટપાથો પર દબાણો હટાવી લોકોને ચાલવા માટે સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial