Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રોડ સેફટી જાગૃતિ માર્ગદર્શન કાર્યક્રમ

'મેરા યુવા ભારત' દ્વારા સુભાષચંદ્ર બોઝ જયંતી નિમિત્તે

જામનગર તા. ૧૮: ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત મેરા યુવા ભારત જામનગર દ્વારા રોડ સેફટી જાગૃતિ કાર્યક્રમ યોજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી ઉજવાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં માય ભારતના રાષ્ટ્રીય સ્વયંસેવક વર્ષા પરમાર દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન વૃતાંત પર પોતાનું વક્તવ્ય રજૂ કરાયું હતું. ત્યારબાદ જામનગરના આર.ટી.ઓ. કે.કે. ઉપાધ્યાય દ્વારા રોડ સેફટી અને જાગરૂકતા કાર્યકમ અંતર્ગત યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર પૃથ્વીએ જો કોઈ વ્યક્તિ રોડ સેફટીનું ઉલ્લંઘન કરે તો કેટલી ભારે નુકશાની ઉઠાવવી પડે છે તે વિશે ઉપસ્થિત યુવાનોને જાણકારી આપેલ ત્યારબાદ ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ ઝાલાએ ટ્રાફિક પોલીસ સાથે રહીને કઈ રીતે નિયમોનું પાલન કરવું તેમજ સડક પર ચાલતા મુસાફરોમાં કઈ રીતે જાગરૂકતા ફેલાવી શકાય એ બાબતની સૌને માહિતી માય ભારતના સ્વયંસેવકોને ઓરિએન્ટેશન તાલીમ આપી હતી.

કાર્યક્રમમાં રોડ સેફટી અંગે પોસ્ટર લોન્ચ કરવામાં આવેલ તથા  સૌએ રોડ સેફટી અંગેના શપથ લીધા હતા. માય ભારતના સ્વયંસેવકો વિવિધ સ્થળોએ ટ્રાફિક પોલીસ સાથે રહી નાગરીકો રોડ સેફટીનું પાલન કરે તે માટે જાગરૂકતા ફેલાવવા અંગેની કામગીરી કરશે તેમ મેરા યુવા ભારત જામનગરના જિલ્લા યુવા અધિકારી  શિખર રસ્તોગી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આર.ટી.ઓ. કે.કે.ઉપાધ્યાય, ટ્રાફિક પી.એસ.આઇ. મહેન્દ્રસિંહ ઝાલા, પી.એસ.આઇ  ચોવટિયા, મહિલા કોલેજના ટ્રાફિક એજ્યુકેશન ઓફિસર ધર્મેશ ખાનપરા, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર નજમા અંસારી, મહિલા અને બાળ વિકાસ કચેરીના સોનલબેન વર્ણાગર સહીત બહોળી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh