Advertisement
Author: નોબત સમાચાર

બાલાચડી સૈનિક સ્કૂલના ધો.૧૨ના વિદ્યાર્થીઓને વિદાયમાનઃ સ્મૃતિ ચિન્હો અર્પણ

કાર્યાલયનો શિલાન્યાસ, સાંસ્કૃતિક કાર્યક્રમો,પ્રાસંગિક પ્રવચનો સાથે

જામનગર તા. ૧૮: તાજેતરમાં  જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ધોરણ ૧૨ નાં કેડેટ્સને વિદાય આપવા માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કોક હાઉસ - શિવાજી હાઉસ દ્વારા પ્રસ્તુતિથી થઈ હતી. શિવાજી હાઉસના હાઉસ કેપ્ટન કેડેટ રોમિલ ગાડિયાએ તેમના હાઉસની સિદ્ધિઓ પર ગર્વ વ્યક્ત કર્યો હતો.

શિવાજી હાઉસના હાઉસ માસ્ટર આરજે મકવાણાએ આ પ્રસંગે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વક્તવ્ય આપ્યું હતું. કેડેટ શિવમ ગાવર અને કેડેટ જય માણેકની સંગીતમય જોડી, કેડેટ આર્યરાજ અને કેડેટ કૃષ્ણ દ્વારા કવિતા અને ધોરણ ૧૧ નાં કેડેટ્સ દ્વારા આઉટગોઇંગ ધોરણ ૧૨ ને સમર્પિત સમૂહ નૃત્ય પ્રદર્શને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. શાળામાં તેમની શૈક્ષણિક સફરના એક મહત્વપૂર્ણ પ્રકરણના અંતના ચિહ્ન તરીકે ધોરણ ૧૨ ના વિદાય લેતા વિદ્યાર્થીઓ માટે કેક કાપવાનો સમારોહ પણ યોજાયો હતો. આઉટગોઇંગ બેચનો પેન પિક્ચર પ્રદર્શિત કરવામાં આવ્યું  હતું અને તેમના દ્વારા રેમ્પ વોક કરવામાં આવી  હતો.

આ પ્રસંગે કાર્યાલયના શિલાન્યાસનો સમારોહ યોજાયો હતો. જેમાં સિનિયર્સે તેમની જવાબદારીઓ જુનિયર્સને સોંપી હતી.  લેફ્ટનન્ટ કર્નલ હરજોત કૌર, વાઇસ પ્રિન્સિપાલે તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો કે વિદાય એ આનંદ અને ગર્વની લાગણી છે. તેમણે વિવિધ પ્રસંગોએ ધોરણ ૧૨ ના  કેડેટ્સ સાથેના તેમના અનુભવો અને વાર્તાલાપની યાદો શેર કરી. તેમણે કેડેટ્સને આ શાળામાં શીખેલા શિસ્ત, મૂલ્યો અને સહાનુભૂતિના પાઠ જીવનમાં લેવા અને હંમેશાં શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવાનો નિર્દેશ આપ્યો હતો.  આ કાર્યક્રમમાં વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા પ્રેરણાદાયી ભાષણો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં તેમના અનુભવો, શીખેલા પાઠ અને ભવિષ્ય માટેના દૃષ્ટિકોણ શેર કરવામાં આવ્યા હતા. સ્કૂલ કેપ્ટન કેડેટ હર્ષિતે તેમના ભાષણ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી જ્યારે શિવાજી હાઉસના કેડેટ રમને તેમના દ્વારા લખાયેલ એક સુંદર હિન્દી કવિતા દ્વારા શાળા અને સ્ટાફ પ્રત્યેની તેમની યાદો અને ભાવનાઓ શેર કરી હતી. ટાગોર હાઉસના કેડેટ અમન કુમાર ને આ ખાસ દિવસે 'મિસ્ટર એલિગન્ટ બાલાચડિયન' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ ધોરણ ૧૨ ના કેડેટ્સને સ્મૃતિચિહ્નો અર્પણ કર્યા હતા.  તેમણે પોતાના ભાષણમાં ટોડ હેનરી દ્વારા લખાયેલ પુસ્તક *ડાઇ એમ્પ્ટી* માં પ્રતિબિંબિત સંદેશ શેર કર્યો કે કેડેટે હંમેશા બાહૃા વિશ્વમાં ભલાઈ પહોંચાડવી જોઈએ. તેમણે કહૃાું કે તમારાં વિચારો તમારી પસંદગીઓ બનાવશે અને જેવી  તમારી પસંદગી હશે તેવા તમે બની શકો તેથી , સમજદારીપૂર્વક અને હિંમતભેર પસંદગી કરો. તેમણે વિદાય લેનારા બેચને મોબાઇલનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવાની અને હંમેશાં સચેત રહેવાની અને તેમના આગામી કોલેજ જીવનમાં સારી બાબતોને આત્મસાત કરવા માટે તૈયાર રહેવાની અને મિત્રોને સમજદારીપૂર્વક પસંદ કરવાની સલાહ આપી. પ્રિન્સિપાલે તેમના ભાષણનું સમાપન ચાર પ્રેરણાદાયી અક્ષરો *એચઓપીઈ* સાથે કર્યું. તેમણે કહૃાું કે કેડેટ જ્યાં પણ હોય ત્યાં પોતાના પ્રત્યે પ્રામાણિક, આજ્ઞાપાલન અને સમયપાલન ધરાવતો હોવો જોઈએ અને હંમેશા પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કાર્યક્રમનું સમાપન શાળાના વાઇસ કેપ્ટન કેડેટ દીક્ષાંતે આભારવિધિ સાથે કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh