Advertisement
Author: નોબત સમાચાર

હરેશ્વર મહાદેવ મંદિરમાં મહા શિવરાત્રિ પર્વની ઉજવણીનું આયોજન

તપોવન, વિજરખીમાં

જામનગર તા. ૧૮: જામનગર નજીક અલિયાબાડા પાટિયા પાસે કંકુનગર-વિજરખીમાં આવેલ તપોવન ફાઉન્ડેશન સંચાલિત હરેશ્વર મહાદેવ મંદિરમાં તા. ર૬-ર-ર૦રપ ના દિને મહાશિવરાત્રિ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા. ર૬/ર ના સવારે ૬ વાગ્યે આરતી, સવારે ૭-૩૦ વાગ્યે હોમાત્મક લઘુરૂદ્રનો આરંભ, બપોરે ૧ વાગ્યે બીડું હોમાશે. બપોરે ૧-૩૦ વાગ્યે મહાપ્રસાદ (ફળાહાર) થશે.

તા. ર૬/ર ના સાંજે ૪ થી રાત્રૈ ડ વાગ્યા સુધી મહાદેવના વિશિષ્ટ શૃંગાર દર્શન થશે. સાંજે ૬-૩૦ વાગ્યે નૂતન ધ્વજારોહણ થશે. ૭ વાગ્યે મહાઆરતી તથા દીપ માળા થશે. રાત્રે ૯ વાગ્યાથી તા. ર૭/ર ના સવારે ૬ વાગ્યા સુધી ચાર પ્રહરના અભિષેક સાથે પૂજા અને આરતી દર્શન થશે.

મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે યોજાનાર હોમાત્મક લઘુરૂદ્ર તથા ચાર પ્રહર અભિષેકમાં બેસવા માટે જેન્તિભાઈ પટેલ (મો.નં. ૯પ૧રર ૦૦પ૧૬) નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh