Advertisement
Author: નોબત સમાચાર

પતિ સાથે બહાર જવાની બાબતે બોલચાલી પછી માઠું લાગી આવતા પત્નીનો ગળાફાંસો

એડવોકેટ પતિએ પોલીસને જાણ કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં પ્રણામી ટાઉનશીપમાં રહેતા એક એડવોકેટના પત્નીએ બહાર જવાની બાબતે પતિ સાથે થયેલી સામાન્ય બોલાચાલીનું માઠંુ લાગી આવતા ગઈકાલે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદ મીલની ચાલી નજીક પ્રણામી ટાઉનશીપની શેરી નં.૬માં રહેતા દીપકભાઈ દામજીભાઈ કટારમલ નામના એડવોકેટના પત્ની હીનલબેન (ઉ.વ.૩૦)એ ગઈકાલે પોતાના રહેણાંકના ઉપરના ઓરડામાં જઈ પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ મહિલાને પતિ દીપકભાઈ સાથે બહાર જવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. તે પછી માઠંુ લાગી આવતા તેઓએ ગઈકાલે સાંજે ગળાફાંસો ખાધો હતો. જેની સાડા દસેક વાગ્યે દીપકભાઈને જાણ થઈ હતી. આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. સિટી એ ડિવિઝનના પીએસઆઈ એલ.બી. જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળી પતિ દીપકભાઈનું નિવેદન નોંધ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh