Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોખંડનો પાઈપ ઈલેકટ્રીક વાયરને અડકેલો હતોઃ
જામનગર તા. ૧૮: જામનગર-ખંભાળિયા રોડ પર સિક્કા પાટીયા પાસે વિશ્વકર્મા નામનું ગેરેજ ચલાવતા પ્રૌઢને ગઈકાલે બોડીકામ કરતી વખતે ઈલેકટ્રીક વાયરને અડકીને પડેલો લોખંડનો પાઈપ અડકતા વીજ આંચકો લાગવાથી આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગર તાલુકાના સિક્કા ગામની પંચવટી સોસાયટીમાં રહેતા અને વેલ્ડીંગકામ કરી ગુજરાન ચલાવતા રાજેશભાઈ વેલજીભાઈ ગોરેચા (ઉ.વ.પર) નામના પ્રૌઢ સિકકા પાટીયા નજીક વિશ્વકર્મા ગેરેજ ચલાવે છે.
ગઈકાલે સાંજે રાજેશભાઈ પોતાના ગેરેજમાં એક ટ્રકનું બોડી કામ કરતા હતા ત્યારે ઉપરના ભાગે લોખંડનો પાઈપ તેઓના હાથને અડકી ગયો હતો. આ પાઈપમાંથી પ્રવાહીત થતો વીજ કરંટ તેઓને સ્પર્શી જતાં રાજેશભાઈને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. સારવાર માટે દવાખાને ખસેડાયેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ધવલભાઈ ગોરેચાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial