Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાઃ પાલિકાના શાસકોની ઘોર ઉપેક્ષા અને નિષ્ક્રિયતાના કારણે...
ખંભાળીયાની શાકમાર્કેટમાં ખૂબજ અવ્યવસ્થા અને ગંદકી હોય, પાલિકાતંત્ર કડક પગલાં સાથે વ્યવસ્થા કરવા માંગ થઈ રહી છે. પાલિકાના આગળના તથા પાછળના દરવાજા પાસે જ ગાળાવાળા પોતાના સળેલા કે ખરાબ થઈ ગયેલા શાક બકાલાના ઢગલા ગમે ત્યારે નાખી જાય છે અને તે ખાવા ગાયો, ખુંટીયા હોય, લોકોને ત્યાંથી નીકળવું જોખમી થાય છે, તો નજીકમાં ગંદકી નાખવાની જગ્યા હોય તેમ ગંદકીના ઢગલા અને નજીકમાં પી.ડબલ્યુ.ડી.ના ક્વાર્ટરની જગ્યા પાસે માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે, કેમ કે અહીં લોકો લઘુશંકા કરે છે, કેમ કે નજીકમાં ક્યાંય મુતરડી જ નથી. દરરોજ નિયમિત સફાઈ, ગંદકી ન ફેલાય તે માટે સીસીટીવી ધ્યાન રાખવા નિયમિત વ્યક્તિ તથા ગંદકી ફેંકનાર સામે કડક કાર્યવાહી સાથે, કચરો ઉપાડાય તેવી વ્યવસ્થા કરીને આ શાકમાર્કેટને વ્યવસ્થિત કરવા લોકોમાં માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial