Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુકાનનું શટર બંધ કરતી વખતે વેપારી બેભાનઃ મોતઃ
જામનગર તા. ૧૮: જામજોધપુર તાલુકાના કરશનપર ગામના એક યુવાન ગઈકાલે સવારે ગામમાંથી વહેતી નદી પાસે કુદરતી હાજત માટે ગયા પછી કોઈ રીતે નદીમાં લપસી પડતા મોતને શરણ થયા છે. જ્યારે સુરજકરાડીમાં દુકાનનું શટર બંધ કરતી વખતે બેભાન બની ગયેલા વેપારી પર કાળનો પંજો પડ્યો છે.
જામજોધપુર તાલુકાના કરશનપર ગામના બાબુભાઈ નારણભાઈ સરસીયા નામના વીસ વર્ષના યુવાન ગઈકાલે સવારે પોતાના ઘરેથી કુદરતી હાજત માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે નજીકમાં આવેલી નદી પાસે પહોંચ્યા ત્યારે અકસ્માતે નદીમાં ખાબકી ગયા હતા. આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. હમીરભાઈ ભીખાભાઈ સરસીયાએ પોલીસને જાણ કરી છે.
દ્વારકા તાલુકાના આરંભડા ગામની સીમમાં મહાવીર સોસાયટીમાં રહેતા પરેશભાઈ નરોત્તમભાઈ સામાણી નામના ચુમાલીસ વર્ષના યુવાન સોમવારે રાત્રે નવેક વાગ્યે સુરજકરાડીમાં નગરપાલિકા કચેરી હતા ત્યારે પોતાની કુંજ મોબાઈલ નામની દુકાન વધાવતા હતા ત્યારે શટર ખેંચતી વખતે કોઈ રીતે બેભાન બની ગયા હતા. સારવારમાં ખસેડાયેલા પરેશભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર કુંજભાઈ સામાણીએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial