Advertisement
Author: નોબત સમાચાર

કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલન થતા બેના મૃત્યુઃ ત્રણ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

૫ાંચ પગપાળા જતા યાત્રીઓ ખીણમાં પડયા

                                                                                                                                                                                                      

કેદારનાથ તા. ૧૮: કેદારનાથમાં ભયાનક ભૂસ્ખ્લન થતા કાટમાળ સાથે ૫ શ્રદ્ધાળુ ખીણમાં ખાબકયાં હતાં, જે પૈકી બે શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા, જયારે ત્રણને ઈજા થઈ છે.

ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભુસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે.

આ દુર્ઘટનામાં બેના મૃત્યુ અને ત્રણ ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. આ અંગે જિલ્લા આપત્તિ નિવારણ અધિકારીએ વધુ જાણકારી આપતાં કહૃાું કે, ભુસ્ખલનના કારણે શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હતા. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ થઈ રહૃાો છે. જેના લીધે ભુસ્ખલનની દુર્ઘટના વધી છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર પૂર્વાનુમાન અનુસાર, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે. અન્ય જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના દર્શાવાઈ છે. ૨૩ જૂન સુધી વરસાદની સ્થિતિ રહેવાનો અંદાજ છે.

કેદારનાથમાં રવિવારે પણ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. જેનો સંપૂર્ણ કાટમાળ દૂર કરતાં બે દિવસ થયા હતા.

ભૂસ્ખલનના કારણે કેદારનાથ યાત્રા કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. જેમાં ૧નું મોત અને બે ઘાયલ થયા હતાં. જો કે, કાટમાળ દૂર કરાયા બાદ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh