Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ડીડીઓ તરીકે રાજપીપળાથી અધિકારીની નિમણૂકઃ
ગાંધીનગર તા. ૧૮: રાજ્ય સરકારે રાજ્યમાં ફરજ બજાવતા કુલ પૈકીના ૧૩ સનદી અધિકારીઓની ગઈકાલે બદલીનો આદેશ કર્યાે છે. જેમાં નર્મદા જિલ્લામાંથી એક અધિકારી જામનગરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગમાં ફરજ બજાવતા આઈએએસ સહિત ૧૩ આઈએએસ અધિકારીની બદલીનો ગઈકાલે આદેશ કર્યાે છે. જેમાં નર્મદા જિલ્લાના જિલ્લા વિકાસ અધીકારી અંકિત પન્નુની જામનગર ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે.
હાલમાં જામનગરમાં ફરજ બજાવતા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની બદલી થઈ છે અને તેમના સ્ટાફે નર્મદા જિલ્લામાંથી અંકિત પન્નુ મુકવામાં આવ્યા છે. શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. કેટલાક સનદી અધિકારીઓને વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial