Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર પંથકમાં બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૧૮: લાલપુર પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સાડા આઠ વર્ષની પુત્રીને પાંચ વર્ષ પહેલાં કાયદાથી સંઘર્ષિત એક કિશોરે એક સ્થળે લઈ જઈ શરીરમાં લાકડુ નાખી વિકૃતિ દર્શાવી હતી. લોહીલુહાણ તરૂણીના માતા-પિતાએ પોલીસને જાણ કરી હતી. તે કેસ ચાલી જતા અદાલતે કાયદાથી સંઘર્ષિત કિશોરને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષના પ્રોબેશન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.
લાલપુર પંથકમાં વસવાટ કરતા એક શ્રમિક પરિવારની સાડા આઠ વર્ષની પુત્રી ગઈ તા.૨૯-૧૦-ર૦ના દિને પોતાના ઘરે પરત આવી ત્યારે રડતી હતી. તેથી તેના માતા-પિતાએ રડવાનું કારણ પૂછતા આ બાળકીએ ગુપ્ત ભાગમાં વાગ્યું હોવાનું જણાવ્યુ હતું.
આ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી પૂછપરછ કરાતા તેણીએ નજીકમાં જ રહેતા એક પરિવારના પોણા સત્તર વર્ષના તરૂણે તેણીને એક સ્થળે લઈ જઈ શરીરમાં લાકડા જેવું સાઠીકડુ નાખ્યાની અને તેના કારણે પોતે લોહીલુહાણ થઈ ગયાની વિગત આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે આઈપીસી ૩૭૬ (એ) (બી), પોક્સો એક્ટની કલમ ૪, ૫, ૬ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતા અદાલતે કાયદાથી સંઘર્ષિત કિશોરને આઈપીસી ૩૭૬ (એ) (બી) તથા પોક્સો એક્ટની કલમ ૪, ૫, ૬ના ગુન્હામાં તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષના પ્રોબેશન પર મુક્ત કર્યાે છે અને આ બાળકીને કમ્પેઈન્સેશનમાંથી રૂ.ર લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યાે છે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial