Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરીથી સંક્રમણ થોડું વધ્યુ
જામનગર તા. ૧૮: જામનગરમાં સતત બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડા પછી ગઈકાલે કેસમાં વધારો થયો હતો અને શહેરમાં ૧૦ નવા કેસ નોંધાયા હતાં, જયારે ગ્રામ્યમાં નવો કોઈ કેસ નોંધાયો નથી.
ગઈકાલે ફરી વખત કેસમાં ઉછાળો આવ્યો છે. આજે ૧૦ નવા કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર કોઈ કેસ નોંધાયો નથી. શહેર વિસ્તારના ૪૫ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૫ એક્ટિવ કેસ છે.
પરંતુ ગઈકાલે એક જ દિવસમાં વધુ ૧૦ કેસ નોંધાયા છે. તેમાં પંચવટી સોસાયટીના ૬૫ વર્ષના મહિલા, ૩૯ વર્ષના પુરુષ ૪૧ વર્ષના મહિલા અને સાત વર્ષના બાળક ઉપરાંત જકાતનાકા વિસ્તારના ૬૬ વર્ષના પુરુષ, મધુરમ રેસીડેન્સીના ૧૮ વર્ષનો યુવક, જનતા સોસાયટીમાં ૩૩ વર્ષના મહિલા., રાજનગર વિસ્તારના ૪૭ વર્ષના મહિલા, મેહુલ નગરના ૩૮ વર્ષના પુરુષ અને એન આર આઈ રોયલ બંગલાના ૭૦ વર્ષના પુરુષનો સમાવેશ થાય છે
ગઈકાલે ૪ દર્દીને કોરોના મુકત જાહેર કરવામાં આવ્યા હતા. જામનગર શહેરમાં હાલની સ્થિતિએ કુલ ૪૫ એક્ટિવ કેસ છે. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે કોઈ નવો કેસ નોંધાયો નથી. અને હાલની સ્થિતિ એ કુલ પાંચ એક્ટિવ કેસ છે. જ્યારે હોસ્પિટલમાં કોઈ દર્દી દાખલ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial