Advertisement
Author: નોબત સમાચાર

વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોકઃ રેલ વ્યવહાર થશે પ્રભાવિત

ઓખા-એર્નાકુલમ્ એક્સપ્રેસ રેગ્યુલેટર થશેઃ

રાજકોટ તા. ર૧: રાજકોટ ડિવિઝનના વિરગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રીજ નંબર ર૩ માટે હાલના સ્ટીલ ગર્ડરની એ પીએસસી સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરીંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત થશે.

જેમાં રર-૩-ર૦રપ ના ટ્રેન નંબર ૧૯૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી ઉપડશે અને વિરમગામ સુધી જશે અને વીરમગામથી તેને ૧૯૧ર૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ તરીકે ચલાવવામાં આવશે. રર-૩-ર૦રપ ના ટ્રેન નંબર ૧૯૧ર૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી ઉપડશે અને સુરેન્દ્રનગર સુધી જશે અને સુરેન્દ્રનગરથી તેને ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ તરીકે ચલાવવામાં આવશે. તેમજ ર૧-૩-ર૦રપ ની ટ્રે નં. ૧૬૬૧૪ કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ માર્ગમાં એક કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે અને રર-૩-ર૦રપ ની ટ્રેન નં. ૧૬૩૩૭ ઓખા-એર્નાકુલમ્ એક્સપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh