Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડ, જામનગરમાં નિર્માણાધીન
જામનગર તા. ૨૧: જામનગરનજીક દરેડમાં આવેલ તક્ષશિલા સંકૂલમાં દ્વારકા શારદા પીઠાધિશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના કરકમલોથી ચિરંજીવી પરશુરામ ભગવાનનું ભવ્ય મંદિર નિર્માણનું ભૂમિ પૂજન આગામી તા. ૫-૫-૨૦૨૫ સોમવારના થનાર હોય, તેમાં પધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, જામનગર (દક્ષિણ)ના દિવ્યેશભાઈ અકબરી, જામનગર (ઉત્તર) ના રીવાબા જાડેજા, બ્રહ્મસમાજના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, અનિરૂદ્ધભાઈ દવે, સેજલબેન પંડયાને સાથે રાખી નિમંત્રણ પાઠવવા શુભેચ્છા મુલાકાત લઈ ભૂમિપૂજનમાં પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
તક્ષશિલા પરિવારના સભ્યો અર્ચનાબેન ઠાકર (ભાજપ પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ), ગુણવંતભાઈ ભટ્ટ, અજયભાઈ જાની, પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, ડો. દેવાંશુભાઈ શુકલ, એન.ડી. ત્રિવેદી, સતિષભાઈ જોશી, ડી.કે. ભટ્ટ, ગૌરવભાઈ વ્યાસ, જગતભાઈ રાવલ, તરૂણભાઈ જાની, કમલેશભાઈ પંડયા, હિમાંશુ જોશી, હાર્દિકભાઈ જાની, હેતુભાઈ દવે, અમિતભાઈ ઉપાધ્યાય, હાર્દિકભાઈ વ્યાસ, કલ્પેશભાઈ દવેએ શુભેચ્છા મુલાકાત સાથે ભગવાન પરશુરામ દાદાના ભવ્યાતિભવ્ય મંદિર મંદિર નિર્માણ માટેના ભૂમિ પૂજનમાં પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial