Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયાના કેશરિયા તળાવમાં અસહ્ય ગંદકીથી ભારે હાલાકી

ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કરવામાં નહીં આવે તો આંદોલનઃ

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના કેશરિયા તળાવમાંથી કચરો-ગંદીકીની સફાઈ કરાવવા ગ્રામજનો દ્વારા માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીને પાઠવાયેલ પત્રમાં જણાવાયું છે કે તળાવ હાલ ગંદકીથી ખદબદી રહ્યું છે. પરિણામે આજુબાજુના રહેવાસીઓ, ધંધાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તળાવમાં પીવા માટેના પાણીનો સંગ્રહ થાય છે, પરંતુ ભાટિયા ગ્રામ પંચાયત દ્વારા કેશરિયા તળાવની સફાઈ કરાવવામાં આવતી નથી. જરૂર પડ્યે આ માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh