Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેજીલા વાયરાઓના પગલે
જામનગર તા. ર૧: જામનગરમાં તેજીલા વાયરાઓના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન વધુ ૧.૩ ડીગ્રી ઘટીને ૩૩.પ ડીગ્રીએ પહોંચી જતા બપોરે આકરા તાપમાં આંશિક ઘટાડો થયો હતો.
જામનગરમાં ગઈકાલે પણ ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુનો દોર યથાવત્ રહ્યો હતો. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજે ઠંડક અનુભવાઈ હતી.
ગતિમાન પવનના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં જામનગરમાં મહત્તમ તાપમાન વધુ ૧.૩ ડીગ્રી ઘટીને ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે બપોરે અનુભવાતા આકરા તાપમાં પણ ઘટાડો થયો હતો.
નગરમાં ૧.પ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૧.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત્ વધીને ૮૮ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial