Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના મોટા માંઢાની જમીન અંગે ત્રણ વારસાઈ નોંધ પ્રમાણિત કરવા આદેશ

વારસાઈ નોંધ સામે લેવાયો હતો વાંધોઃ

જામનગર તા.૨૧ : ખંભાળિયાના મોટા માંઢા ગામમાં આવેલી ખેતીની કેટલીક જમીનોના માલિકનું અવસાન થતાં તેમના પત્નીનું નામ હક્કપત્રકે વારસાઈ નોંધમાં દાખલ કરવા તજવીજ કરાતા ત્રણ વારસાઈ નોંધ સામે વાંધો લેવાયો હતો. તેના કેસમાં ત્રણેય નોંધ પ્રમાણિત કરી આપવા આદેશ થયો છે.

ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામમાં આવેલી ખેતીની કેટલીક જમીન પબુભાઈ ભાચકન વગેરેના નામે રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલી છે. તે દરમિયાન વર્ષ ૨૦૧૯માં પબુભાઈનું અવસાન થતાં તેમના પત્ની બુધીબેનના નામની હક્કપત્રકમાં વારસાઈ નોંધ કરાઈ હતી.

આ જમીનના અન્ય માલિકો દ્વારા ત્રણ વારસાઈ નોંધ સામે વાંધા અરજી લેવામાં આવી હતી અને પ્રાંત અધીકારી સમક્ષ કેસ કરાયો હતો. તે કેસ અન્વયે હાજર થયેલા બુધીબેન તરફથી રોકાયેલા વકીલ ભાર્ગવ મહેતા, રામદે ગઢવી, ભારાભાઈ ગઢવીની રજૂ થયેલી દલીલો ગ્રાહ્ય રાખી હક્કપત્રકે પડેલી તમામ ત્રણ વારસાઈ નોંધ પ્રમાણિત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh