Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશની સંખ્યા થશે ૪૦નીઃ
જામનગર તા.ર૧ : રાજ્યની લોયર જ્યુડીશીયરીમાં ફરજ બજાવતા આઠ ન્યાયધીશને બઢતી આપવા સુપ્રિમ કોર્ટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયંુ છે. જેમાં અગાઉ જામનગરમાં ફરજ બજાવી ચૂકેલા બે ન્યાયધીશનો સમાવેશ થાય છે. હવે આગામી દિવસોમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવશે.
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ ખન્ના, જસ્ટીસ બી.આર. ગવઈ અને જસ્ટીસ સૂર્યકાંતની બનેલી કોલેજીયમ ની મહત્ત્વની બેઠકમાં ગુજરાત હાઈકોર્ટમાં વધુ આઠ ન્યાયમૂર્તિ ઓના નામની દરખાસ્તને વિધિવત મંજૂરી આપવામાં આવી હતી. આમ હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિની સંખ્યા ૩ર છે જે વધીને હવે ૪૦ થશે. આ બઢતી પામનાર ન્યાયધીશોમાં અગાઉ જામનગરમાં ફરજ બજાવી ચુકેલા ડી.એમ. વ્યાસ અને મુલચંદ ત્યાગીનો પણ સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial