Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાહનમાં મુસાફરો બેસાડવા મુદ્દે ડખ્ખોઃ
જામનગર તા.૨૧ : જામનગરમાં સાતરસ્તા પાસે વાહનમાં મુસાફરો ભરવાના પ્રશ્ને બોલાચાલી થયા પછી એક વાહનચાલક ઉપર પાઈપ વડે હુમલો કરવા અંગે ત્રણ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં.પ૮માં રહેતા અને વાહન ચલાવતા નિલેશ જેઠાભાઈ માવ (ઉ.વ.૩૦) ગત સાંજે સાતરસ્તા પાસે પોતાની ઈકો કાર લઈને ઉભા હતા ત્યારે મુસાફરો બેસાડવાના પ્રશ્ને અન્ય વાહન ચાલક સાથે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. આ પછી અલ્તાફ અને અન્ય બે શખ્સો મળી ત્રણેય શખ્સોએ લોખંડના પાઈપ વડે નિલેશ માવ ઉપર હુમલો કર્યાે હતો. જેમાં તેને ઈજા પહોંચી હતી. આખરે મોડીરાત્રે નિલેશ માવની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપી સામે ગુન્હો નોંધ્યો હતો. જેની તપાસ પોલીસ સબ ઈન્સ. ડી.જે. રાજ ચલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial