Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના ભાદરા ગામ પાસે ખેતરોમાં આગ લાગતા ઘઉંના જથ્થાનો નાશ થયો

મશીનમાં થયેલા શોર્ટ-સર્કીટના કારણે આગ લાગીઃ

જામનગર તા.૨૧ : જોડિયા તાલુકાના ભાદરા ગામ નજીક એક ખેતરમાં આગ લાગી હતી. પરિણામ ૩૦ વીઘામાં વાવેતર કરેલા ઘઉંના જથ્થાનો નાશ થયો હતો. જોડિયા તાલુકાના ભાદરા ચોકી પાસે આવેલા વાડી ખેતરોમાંથી મશીન વડે ઘઉં કાઢવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સાંજના સમયે મશીનમાં શોર્ટ સર્કીટ થવાના કારણે આગ લાગી હતી અને આગની જ્વાળાઓ સમગ્ર ખેતરના વાવેતરમાં ફેરવાઈ ગઈ હતી. જેથી આશરે ૩૦ વીઘા જમીનમાં પથરાયેલા ઘઉંનો જથ્થો સળગી ગયો હતો. જેમાં રામજીભાઈ ધરમશીભાઈની ૧૧ વીઘા, બાબુભાઈ રામજીભાઈ ૬ વીઘા અને કાનજીભાઈ વસરામ ભાઈની ૮ વીઘા સહિત આશરે રૂ.પ લાખની કિંમતના એકાદ હજાર મણ ઘઉંનો જથ્થો સળગી ગયો હતો. બનાવની જાણ થતાં આજુબાજુના વાડી, ખેતરોમાંથી ખેડૂતો, શ્રમિકો દોડી આવ્યા હતા અને જરૂરી પ્રયાસો હાથ ધરીને આગથી થઈ રહેલી નુકસાની અટકાવવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh