Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તળાવ સંલગ્ન કેનાલમાં કેમિકલવાળા પાણી મુદ્દે તંત્ર ક્યારે જાગશે?

આગામી સમયમાં રણમલ તળાવમાં શું કેમિકલવાળું પાણી ઠલવાશે?:

જામનગરની ઓળખ અને ભૂગર્ભ જળ વડે તરસ બુઝાવનારા મુખ્ય જળસ્ત્રોત એવા રણમલ તળાવમાં આગામી ૩૦ તારીખે રણજીતસાગર રોડ પર આવેલ તળાવ સંલગ્ન કેનાલ વડે પાણી ઠલવવામાં આવશે એવી ઘોષણા તંત્ર દ્વારા કરવામાં આવી છે, પરંતુ તળાવ સંલગ્ન આ કેનાલમાં ઘણાં સમયથી ઔદ્યોગિક એકમોનું કેમિકલવાળું પાણી ઠલવાતું હોવાની રાવ ઊઠી છે. મીડિયામાં પણ આ અંગે ઘણી વખત અહેવાલો પ્રગટ થઈ ચૂક્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. પ્રસ્તુત તસ્વીર કેનાલની હાલની સ્થિતિ દર્શાવે છે. જેમાં કેમિકલવાળું દૂષિત પાણી જોઈ શકાય છે. તંત્ર આગામી સમયમાં આ કેનાલ વડે રણમલ તળાવમાં પાણી ઠાલવશે તો શું તળાવમાં કેમિકલવાળું પાણી ઠલવાશે? તળાવને કારણે આસપાસના મોટાભાગના વિસ્તારોના બોર-ડંકીના તળ સજ્જ રહે છે ત્યારે તળાવમાં પ્રદૂષિત પાણી ઠલવાશે તો ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થશે અને હજારો લોકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે. કેનાલમાં કેમિકલવાળા પાણીના મુદ્દે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે એ અનિવાર્ય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh