Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતને હૃદયરોગનો હુમલો આવી ગયોઃ આધેડે દવા પીધીઃ
જામનગર તા.ર૧ : હાલાર પંથકમાં અપમૃત્યુ અને આત્મહત્યાના બે બનાવમાં એક વૃદ્ધ તથા એક આધેડના મૃત્યુ નિપજ્યા છે. ધ્રોલ પંથકના ખેડૂત વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે કલ્યાણપુર તાલુકાના ગોલણશેરડી ગામના એક આધેડે જંતુનાશક દવા પી લેતાં તેનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
ધ્રોલ તાલુકાના દેડકદળ ગામમાં રહેતા પરસોત્તમભાઈ ચકુભાઈ પાદરીયા નામના બાંસઠ વર્ષના વૃદ્ધ ગઈકાલે બપોરે પોતાની વાડીમાં ખેતી કામ કરતા હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. આથી તુરંત તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમને મૃત્યુ પામેલા જાહેર કરયા હતા.
જ્યારે આત્મહત્યાના બનાવમાં ખંભાળિયા તાલુકાના ઠાકરશેરડી ગામના રાણાભાઈ કારાભાઈ મકવાણા (ઉ.વ.૫૦)એ માનસિક અસ્વચ્છતાના કારણે ગત તા.૧૧ માર્ચના જામરાવલ નજીકના રાજપરા ગામના દેવાભાઈ વાઢેરની વાડીમાં જંતુનાશક દવા પી લીધી હતી. આથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial