Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના જૈન કન્યા વિદ્યાલય દ્વારા ધ્વજારોહણ

જામનગર તા. ૨૧: જામનગરના જૈન કન્યા વિદ્યાલય શાળા પરિવાર દ્વારા ગુરૂમંદિરના ૧૫માં ધ્વજારોહણ પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગે પ.પૂ. સાધ્વીજી ભગવંતોએ નિશ્રા પ્રદાન કરી હતી. જેમાં જૈન કન્યા વિદ્યાલયની સમગ્ર બાળાઓ, શાળાના કર્મચારીઓ મહાજન સમાજના અગ્રણીઓએ હાજર રહીને પ્રસંગને દિપાવ્યો હતો. ટ્રસ્ટના તરફથી હિમંતલાલ કાનજીભાઈ શાહ, પાનાચંદ પદમશી ગુઢકા, રાજુભાઈ ગુઢકા, શાળા પરિવારના કમિટિ મેમ્બર્સ શાંતાબેન, કલાબેન શાહ, નિલમબેન શાહ, સૂર્યાબેન શાહ ઉપસ્થિતિમાં વિમલનાથ સ્નાત્ર મહિલામંડળ દ્વારા સ્નાત્રપૂજા તથા વિધિકાર કલ્પેશભાઈ દ્વારા પાંચ અભિષેક કરી વિધિવત શાળા પરિવાર દ્વારા ૧૫મી ધ્વજા હર્ષોલ્લાસ સાથે ચઢાવવામાં આવી હતી. ગુરૂદેવને ફૂલોની આંગી, ઘઉલી અને રંગોળી દ્વારા શણગારવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ધ્વજામાં પધારેલ મહેમાનો તથા જૈન કન્યા વિદ્યાલયની બાળાઓને સાટા પ્રભાવના કરવામાં આવી હતી. આ તકે રશ્મિભાઈ શાહ, જતીનભાઈ શાહ, પ્રવિણભાઈ શાહ, બિન્દુબેન શાહ, અસ્મિતાબેન ગુઢકા, સંગીતાબેન મહેતા વિગેરે આમંત્રિતો હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh