Advertisement
Author: નોબત સમાચાર

મકાનમાં ઘૂસી ધોળે દિવસે મકાનમાં લૂંટ કરનાર બેલડીનો એક જામીન મુક્ત

રૂ.૧૪ લાખનો મુદ્દામાલ કરાયો હતો કબજેઃ

 જામનગર તા.ર૧ : જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ધોળે દિવસે ઘૂસી જઈ લૂંટ આચરનાર બે આરોપીને પોલીસે પકડી લીધા હતા. જેલ હવાલે થયેલા આરોપીમાંથી એક શખ્સે જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર થઈ છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી તારમામદ સોસાયટીમાં વસવાટ કરતા એક વ્હોરા પરિવારના મકાનમાં આયુર્વેદિક દવા વેચવાના બહાને ઘૂસી ગયેલા બે અજાણ્યા શખ્સે એક વૃદ્ધા તથા તેમના પુત્રવધૂને બંધક બનાવી તિજોરીની ચાવી પાકીટમાંથી મેળવી તિજોરીમાંથી રૂ.૧ લાખ રોકડા અને રૂ.૧૩ લાખ ઉપરાંતના સોના-ચાંદીના દાગીના લૂંટી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

પોલીસે શરૂ કરેલી તપાસ દરમિયાન ધાર્મિક હરીશભાઈ વરવાડીયા સહિતના બે આરોપીને પકડી પાડયા હતા અને મુદ્દામાલ કબજે કર્યાે હતો. જેલહવાલે થયેલા આરોપી પૈકીના ધાર્મિક હરીશભાઈએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે. આરોપી તરફથી વકીલ મોહસીન ગોરી, બી.જી. સીંગરખીયા, જીતેશ મહેતા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh