Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સી.એ. બિપીન ભંડેરીને ત્યાં સુરતની જીએસટી ટીમનો દરોડોઃ તપાસ ધમધમી

નગર બન્યુ ભ્રષ્ટાચારી કૌભાંડોનું ઓપી સેન્ટર ?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮ઃ જામનગરમાં વધુ એક ચાર્ટર્ડ એકાઉટન્ટ (સીએ) ને ત્યાં જીએસટી વિભાગની ટીમે દરોડા પાડી ચેકીંગનો ધમધમાટ શરૃ કરતા ચર્ચા જાગી છે, તો બીજી તરફ સ્થાનિક કચેરીની કામગીરી પણ શંકાના દાયરામાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ બે સીએ જીએસટી વિભાગની ઝપટે ચઢી ચૂક્યા છે.

જામનગરમાં રણજીતસાગર માર્ગે આવેલ સીએ બિપીન ભંડેરીની ઓફિસમાં પરમદિવસે સુરતની જીએસટીની ટીમે તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો, અને ફાઈલો, અનેક દસ્તાવેજો તપાસ્યા હતાં. બોગસ જીએસટી નંબરની આશંકાના પગલે આ તપાસણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આમ છેલ્લા કેટલાક સમયમાં જામનગરમાં જીએસટી વિભાગની ટીમો સમયાંતરે દરોડા પાડી રહી છે, એટલે કે જીએસટી કૌભાંડનું મુખ્ય કેન્દ્ર જામનગર હોવાનું જોવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ જામનગર સાથે સંકળાયેલા બે સીએ અલ્પેશ પેઢડિયા અને કમલેશ રાઠોડ પણ જીએસટી વિભાગની હડફેટે ચઢ્યા હતાં. જે તે સમયે કરોડોનું બોગસ બિલીંગ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh