Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના લતીપુરમાં આગામી શનિવારે સંતવાણી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન

સ્વ. જેન્તિભાઈ રામાણીની પુણ્યતિથિએ

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૮ઃ ધ્રોલ તાલુકાના લતીપર ગામના પૂર્વ સરપંચ અને જાણીતા સામાજિક અગ્રણી સ્વ. જેન્તિભાઈ દામજીભાઈ રામાણી (ભગત) ગૌસેવા અને માનવતાના કાર્યોમાં હંમેશાં અગ્રેસર રહેતા અને 'જીવદયા ગૌસેવા સમાજ ટ્રસ્ટ-લતીપુર' ના ઉપપ્રમુખ તરીકે વર્ષો સુધી નિઃસ્વાર્થ યોગદાન આપનાર જેન્તિભાઈ ભગતની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તા. ૧૦-૧-૨૬ના વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહોત્સવના ભાગરૃપે શનિવારે સાંજે ૫ઃ૩૦ થી ૮ દરમ્યાન ધ્રોલ-ટંકારા હાઈવે પર સ્થિત શ્રી મનોકામના હનુમાનજી મંદિરમાં ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ત્યાર બાદ રાત્રે ૮ઃ૩૦ કલાકે લતીપુર સ્થિત શ્રી મહેતા લક્ષ્મીચંદ જેઠાભાઈ પરિવાર ગૌશાળામાં ભવ્ય સંતવાણી તથા ધૂનનો કાર્યક્રમ યોજાશે જે મોડી રાત્રે ૧ વાગ્યા સુધી ચાલશે. શ્રી જીવદયા ગૌસેવા સમાજ ટ્રસ્ટ તથા ગામની તમામ સહયોગી સંસ્થાઓ દ્વારા પૂર્વ સરપંચના સેવાકીય કાર્યોને પુષ્પાંજલિ અર્પવા માટે આયોજિત આ કાર્યક્રમમાં તમામ ધર્મપ્રેમી જનતા, સામાજિક અગ્રણીઓ અને ગૌભક્તોને ઉપસ્થિત રહેવા ગણેશભાઈ મુંગરા અને આયોજક સમિતિ દ્વારા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh